દાદીમાનું વૈદુંઃ વાળની માવજત

Sunday 22nd March 2020 05:31 EDT
 
 

• વાળ ખરે તો દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ખરશે નહીં.

• માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઊગે છે.

• આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ, વાટીને પાવડર બનાવી રોજ સવાર-સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.

• ખાંડ અને લીંબુનો રસ ભેગાં કરી માથું ધોવાથી જૂ ને ખોડો મટે છે.

• ચણાને છાશમાં પલાળીને, ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.

• તલનાં ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાંખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.

• પાશેર કોપરેલમાં ખોબો ભરીને મહેંદીના પાન ઉકાળવાં. તે તેલ રોજ માથામાં લગાડવાથી વાળ વધે છે અને કાળા પણ થાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter