દાદીમાનું વૈદુંઃ શીતળા

Saturday 27th July 2019 06:14 EDT
 
 

• શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીનાં પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી. • હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતળાના જામી ગયેલા ઘા પર ભભરાવાથી ફાયદો થાય છે. • ધાણા અને જીરું રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી ચાર પાંચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે. • શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી તેના વડે આંખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી. • શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter