દાદીમાનું વૈદુંઃ હૃદયની બીમારી- બ્લડપ્રેશર

Saturday 03rd April 2021 05:17 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીનું દબાણ, બ્લડપ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણ બ્લડપ્રેશરની રામબાણ દવા છે.
• બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવારસાંજ પીવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.
• એલચીદાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
• આદુંનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હૃદયરોગ મટે છે. હૃદયના રોગીએ ગાજરનો રસ નિયમિત પીવો. તેનાથી હૃદય મજબૂત બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે.
• હૃદયનો દુખાવો ઊપડે ત્યારે તુલસીનાં આઠદસ પાન અને બેત્રણ કાળાં મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter