મહિલાઓ હરિયાળી પાસે રહે તો સ્થૂળ થતી નથી

Friday 31st January 2020 07:27 EST
 
 

લંડનઃ મેદસ્વિતા સાથે સંકળાયેલા એક સંશોધનનું તારણ જણાવે છે કે જે મહિલાઓ લીલીછમ હરિયાળીની ૩૦૦ મીટરની ત્રિજિયામાં રહે છે તેમનું વજન વધવાની કે સ્થૂળતાની સમસ્યા થવાની આશંકા પુરુષોની સરખામણીએ ઓછી હોય છે. આ સંશોધન ઇન્ટરનેશનલ જર્નલ ઓફ હાઈજીન એન્ડ એન્વાયર્ન્મેન્ટલ હેલ્થમાં પ્રકાશિત થયું છે. તેમાં સ્પેનના સંશોધકોએ દાવો કર્યો છે કે મહિલાઓમાં સ્થૂળતા અને હરિયાળા બગીચા વચ્ચે સીધો સંબંધ છે. આસપાસ હરિયાળું વાતાવરણ હોય તો મહિલાઓની શારીરિક ગતિવિધિ આપોઆપ વધી જાય છે. હરિયાળી હોવાથી અવાજ અને માનસિક તણાવ ઓછો રહે છે. વ્યક્તિના વજનમાં વધારો કરવામાં આ પરિબળ મુખ્ય ભૂમિકા ભજવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter