માત્ર 10 મિનિટનું મેડિટેશન દિમાગને રાખશે સ્વસ્થ

Monday 05th September 2022 07:05 EDT
 
 

વોશિંગ્ટન: ભાગદોડભરી જીવનશૈલી છતાં માનસિક સ્વાસ્થ્યની દેખરેખ જરૂરી છે. દિમાગને હંમેશા તેજ અને સ્વસ્થ રાખવા અસમંજસ - અવઢવની સ્થિતિને ટાળો. મામલાને ગૂંચવવાના બદલે ત્વરિત નિર્ણય લો. અમેરિકાના મિસૌરીના 26 વર્ષીય ન્યૂરો-સાયન્ટિસ્ટ કોડી ઈસાબેલે ન્યુરોલોજી ટિપ્સનો વીડિયો તેમના 1.22 લાખથી વધુ ફોલોઅર માટે પોસ્ટ કર્યો હતો. જોકે અત્યાર સુધીમાં તે 13 લાખથી વધુ વખત જોવાઇ ચૂક્યો છે. તેમણે ન્યૂરો-સાયન્ટિસ્ટ તરીકે અમુક વસ્તુને અવગણવાના બદલે અગ્રતા આપવા કહ્યું છે. તેમનું કહેવું છે કે ક્યારેય ઊંઘ ન બગાડશો. માત્ર 10 મિનિટ મેડિટેશન કરો અને દરરોજ સક્રિય રહો. તમે માત્ર 30 દિવસમાં તમારી અંદર સુધારો મહેસૂસ કરી શકશો.
ન્યૂરો-સાયન્ટિસ્ટ કોડીએ તેમના વીડિયોમાં જણાવ્યું છે કે મગજને સ્વસ્થ રાખવાનો નિર્ણય લેવામાં વિલંબ ન કરશો. જો તમે સમયસર નિર્ણય કરશો તો બ્રેઈનનું ફોકસ યોગ્ય રહે છે અને મગજ પણ સારી રીતે કામ કરે છે. તેનાથી તણાવ ઘટે છે અને ગભરાટ થતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter