સ્થુળતાને લીધે વહેલા મૃત્યુનું જોખમ ૫૦ ટકા સુધી વધે

Wednesday 01st May 2019 03:53 EDT
 
 

લંડનઃ સ્થુળ લોકોનું વજન જેમ જેમ વધતું જાય છે તેમ તેમની વિવિધ પ્રકારના જીવલેણ રોગોનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. તેમાં પણ વહેલા મૃત્યુ થવાનું જોખમ ૫૦ ટકા જેટલું વધી જતુ હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

 સ્થુળ બ્રિટિશરોને ડાયબિટીસનું જોખમ ૨૦ ગણુ અને નિંદ્રાની સમસ્યાઓમાં ૨૦ ગણો વધારો થઈ શકે છે. માત્ર વધુ વજન ધરાવતા લોકોને પણ હાર્ટફેલ્યોરથી અસ્થમા અને આર્થ્રાઈટીસ જેવી બીમારીનું વધુ જોખમ રહેતું હોવાનું ૨.૮ મિલિયન દર્દીઓની વિગતોના આધારે જણાયું હતું. બ્રિટનના કુલ વયસ્કો પૈકી ૬૬ ટકા જેટલાં લોકો સ્થુળ છે અથવા વધુ વજન ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter