હેલ્થ ટિપ્સઃ આંબળામાં સમાયો છે પોષકતત્વોનો ભંડાર

Monday 26th April 2021 11:16 EDT
 
 

વિટામિન સી અને એન્ટિ-ઓક્સિડન્ટસથી ભરપૂર આ ફળના એટલા ફાયદા છે કે એ લગભગ દરેક રોગમાં વિવિધ અનુપાન સાથે ચમત્કારિક કહી શકાય એવું પરિણામ આવે છે. ઠંડીમાં માત્ર બે-ત્રણ મહિના જ એ ફ્રેશ મળે છે, પરંતુ એને વિવિધ રુપે સાચવી રાખી શકો એનું સેવન ત્રણેય ઋતુમાં કરી શકાય એમ છે.
એક આમળામાં વીસ સંતરા જેટલું વિટામીન સી હોય છે એવું તાજેતરમાં બ્રિટનની ન્યુટ્રિશન જર્નલમાં નોંધાયું છે. આયુર્વેદે તો અનાદિકાળથી આમળાને શ્રેષ્ઠ ઔષધીઓમાંનું એક ગણ્યું છે, પરંતુહવે મોર્ડન ન્યુટ્રિશન સાસન્યે પણ આમળાંના ગુણગાનના સમર્થન આપવાનું શરુ કર્યુંછે. એમાં વિવિધ પ્રકારના પોલિફિનોલ્સ, ફ્લેવનોઈડ્સ અને ટેનિન નામનાં રસાયણો રહેલાં છે જે આપણા શરીરનમાં છૂટાં ફતાં રેડિકલ્સને શરીરના કોષો સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા જોડાઈને ડેમેડ કરતા અટકાવે છે. આ જ કારણોસર મોર્ડન સાયન્સે આમળાંને ઇમ્યુન સિસ્ટમ, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, સોજો, લિવરની સમસ્યાઓ,બ્રેઈન ડીજનરેશન, ડાયજેશન અને વૃદ્દત્વ સાથે સંકળાયેલી આંખોની સમસ્યામાં શ્રેષ્ઠ કામ આપનારું કહ્યું છે. ચાલો જાણીએ તેનેકઈ રીતે અને ક્યારે લઈ શકીએ.
જ્યુસ સીઝન
શિયાળામાં આમળાંનો શુદ્ધ અને ફ્રેશ જ્યુસ મળી શકે એમ હોય તો ચોક્કસપણે પીવો જોઈએ. એવું કહેવાય છે કે જો શિયાળાના ત્રણ મહિના રોજ આમળાનો જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પ્રબળ થાય છે એટલે એ કોઈપણ પ્રકારના ઘાને ઝડપથી રુઝ અપાવા તેમ જ આયર્નનું ઓબ્રઝઓર્પ્શન સુધારીને હીમોગ્લોબિન પણ વધારે છે. જો કે પ્રિઝર્વ કરી રાખીને બારેમાસ એ પીવાનું હિતાવહ નથી એમ જણાવતા જ્યુસ આમ જુઓ તો ઉત્તમ છે. પરંતુ એ પીવાનું ધ્યાન રાખવું જરુરી છે. સીઝનમાં ફ્રેશ લો તો સારુ, પણ વરસ આખા માટે સંઘરી રાખેલો હોય તો એમાં જરા વિચારવું. વળી, યુરિક એસિડના દર્દીઓ માટે જ્યુસ ઠીક નથી. જ્યુસ પીવાથી કફ અને સંધિવાના દર્દીઓને પણ તકલીફ થઈ શકે છે. એટલે જ્યૂસનું કોણે કેટલું સેવન કરવું એ બાબતે સાવ આંખ બંધ કરીને ન ચાલવું તેમાં નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ રહેશે.
કઈ-કઈ રીતે લેવાય?
આમળા લેવાની અનેક રીતો છે અને એમાં ચૂર્ણ લેવાનું સરળ અને સુલભ છે એમ જણાવતાં ચૂર્ણના ફોર્મમાં આમળાંને વિવિધ ઔષધદ્રવ્યો સાથે મેળવી શકાય. આમળા ધાત્રી રસાયણ છે અને ઘણી બીમારીમાં કામ કરે છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ,બ્લડપ્રેશર, એમ અનેક સમસ્યાઓમાં અક્સીર બને. એનો ચ્યવનપ્રાશ અને મુરબ્બો પણ લેવાય.
અલગ અલગ રોગ અને અવસથાઓ માટે ખડી સાકર, સૂંઠ, ગોળ, હળદર, ભાંગરો જેવાં દ્રવ્યોનું મિશ્રણ કરી શકાય.
બેસ્ટ મુરબ્બાની રેસિપી...
પહેલા આખાં આમળાને કાપા પાડીને બાફી લેવાના. બફાઈ જાય એટલે એને ફોડીને માંથી ઠળિયા અલગ કરી દેવાના અને એનું છીણ તૈયાર કરવું. ત્યારબાદ એમાં અડધોઅડધ ઓર્ગેનિક ગોળ ઉપર પાથરી દેવો.
આ મિશ્રણને તપેલીમાં ભરીને જેમ છૂંદો બનાવવા માટે કપડું અને ચાળણી બાંધીને તકડે મૂકીએ એમ તૈયાર કરવું. આઠથી દસ દિવસ આ તપેલું સૂર્યના આકરા તાપમાં રહેશે. એટલે ગોળ-આમળા એકરસ થઈને તૈયાર થશે. એ દ્રવ્ય શુદ્ધ અને અસરકારક હશે. એમાં જો સૂંઠ નાખી હશે તો એના ગુણ વધશે.
અચૂક કરવા જેવા ઔષધ પ્રયોગો
જો ડાયાબિટીસ ન હોય તો રોજ સવાર-સાંજ બે-બે ગ્રામ આમળાનું ચૂર્ણ અને ખડી સાકર મિક્સ કરીને લેવાનું. જો ડાયાબિટીસ હોય તો હળદર અને આમળાં સમભાગ મેળવીને સવાર-સાંજ લેવાનું
આમળા, સૂંઠ અને ગોળ મિક્સ કરીને જમતાં પહેલાં લેવાની અગ્નિપ્રદીપ્ત થાય છે. જઠરાગ્નિ મજબૂત થાય તો અનેક વિકારો દૂર થાય છે અને દોષોનું શોધન થાય છે.
આમળાં, ભાંગરો અને કાળાં તલ સમપ્રમાણમાં લેવાં. કાળાં તલને પહેલાં શેકીને પછી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ જમ્યા પછી એક-એક ચમચી લેવામાં આવે તો એ વાળ માટે ખૂબ જ સારું. જો તમને ગરમી ન હોય તો એમાં આમળાંના ચોથા ભાગની ક્લોંજી લેવી. એક વર્ષ રોજ સવાર-સાંજ આ ચૂર્ણનું જમીને સેવન કરો તો વાળ સરસ થઈ જશે.
હળદર અને આમળાંનું સમપ્રમાણ મિત્રણ કરીને લેવાથી ડાયાબિટીસ અને આંખના વિકારો તેમ જ રેટિનોપથીમાં ઉત્તમ કામ રહે.
આમળાં વરસાદમાં ગોળ સાથે, ગરમીમાં ઘી સાથે અને ઠંડીમાં મધ સાથે લેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે. એ હાર્ટ, બ્રેઈન, કિડની, આંખ જેવા અવયવોને સ્વસ્થ રાખે છે અને ઓલ્ઝાઈમર્સ, પાર્કિન્સન્સ જેવા રોગોને પ્રિવેન્ટ કરે છે.
કેન્સરના પ્રિવેન્શન માટે આમળાંનો ઉપયોગ અશ્વગંધા, ગળો અને હળદર સાથે કરવામાં આવે તો ફરીથી ઊથલો મારવાના ચાન્સિસ ઘટી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter