૪૫ વર્ષ સુધી નિરોગી રહો અને વધુ ૧૩ વર્ષ જીવો

Tuesday 10th March 2015 10:50 EDT
 

જો તમે ૪૫ વર્ષ સુધી નિરોગી રહ્યા હશો તો તમારા આયુષ્યમાં ૧૩ વર્ષનો વધારો થશે એમ નિષ્ણાંતોએ જણાવ્યું છે. શરત એટલી જ કે તમને ૪૫ વર્ષની વય સુધીમાં ડાયાબિટીશ, હાઇ બ્લડપ્રેશર અને મેદસ્વીતાની બીમારી થઇ ન હોય. તંદુરસ્ત આયુષ્ય માટે આ ત્રણ મુખ્ય જોખમ ગણાય છે. કદાચ તમને હ્રદયનો રોગ હોય તો પણ તમે સારૂ આરોગ્યમય જીવન જીવી શકો છો. જો મધ્યમવયે તમે તંદુરસ્ત આરોગ્ય ધરાવતા હો તો તે તમારા ખુદના માટે ખૂબજ સારૂ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter