જો તમે ૪૫ વર્ષ સુધી નિરોગી રહ્યા હશો તો તમારા આયુષ્યમાં ૧૩ વર્ષનો વધારો થશે એમ નિષ્ણાંતોએ જણાવ્યું છે. શરત એટલી જ કે તમને ૪૫ વર્ષની વય સુધીમાં ડાયાબિટીશ, હાઇ બ્લડપ્રેશર અને મેદસ્વીતાની બીમારી થઇ ન હોય. તંદુરસ્ત આયુષ્ય માટે આ ત્રણ મુખ્ય જોખમ ગણાય છે. કદાચ તમને હ્રદયનો રોગ હોય તો પણ તમે સારૂ આરોગ્યમય જીવન જીવી શકો છો. જો મધ્યમવયે તમે તંદુરસ્ત આરોગ્ય ધરાવતા હો તો તે તમારા ખુદના માટે ખૂબજ સારૂ છે.