હોમટિપ્સઃ ઘરેલુ નુસ્ખા

Wednesday 07th April 2021 06:29 EDT
 
 

રોજિંદા જીવન સાથે સંકળાયેલા કામકાજને સરળ બનાવતા ઘરેલુ નુસ્ખા...

• મુસાફરીમાં તમે દૂધ લઈ જવા માગતા હો તો થર્મોસમાં હૂંફાળું દૂધ લઈ જવાને બદલે ચિલ્ડ દૂધ લઈ જાઓ. દૂધ લાંબો સમય તાજું રહેશે.
• રવાના લાડુ બનાવતી વખતે માવાને બદલે દૂધનો પાવડર વાપરો. આનાથી લાડુનો સ્વાદ બમણો થઇ જશે.
• ઢોંસા બનાવતા પહેલા તેના મિશ્રણમાં બે મોટી ચમચી બાફેલા ચોખા મિક્સ કરી દો. આનાથી તે તવા પર ચોંટશે નહિં.
• ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહીં થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.
• અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.
• બટાકાની છાલ કાઢી તેમાં ફોર્કથી કાણા પાડી તેને મીઠાવાળા પાણીમાં બોળી રાખવાથી દમ આલુ સારા બનશે.
• જો દાળ વધી પડે તો એમાં લોટ, ડુંગળી, લીલાં મરચાં, કાપેલી કોથમીર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું મેળવીને ગંદી નાખો અને પછી એનાં પરાંઠાં બાનાવીને શેકો અથવા તળી લો. આ દાળવાળા પરાંઠાં અથાણા અથવા તો દહીં સાથે પીરસો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
• કોઈપણ જગ્યાએ વાર્નિશના ડાઘ પડ્યા હોય તો ટર્પેન્ટાઇનના તેલથી સાફ કરો. ડાઘ નીકળી જશે.
• આમલી બારે માસ સાચવી લાખવા એની બરણીમાં આખું મીઠું ભરીને રાખો. પીસેલું ધાણાજીરું જો ખરાબ થવા આવે તો એમાં થોડું મીઠું ભેળવી દો. એનાથી ધારાજીરું ખરાબ નહીં થાય.
• જો દાળ બળ ગઈ હોય તો બીજા વાસણમાં કાઢીને હિંગ-લસણનો વઘાર કરો. પછી એમાં ગરમ માસલો અને કસૂરી મેથી નાખો. બળવાની વાસ જતી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter