500થી વધુ ફિલ્મોમાં ચમકેલા અભિનેતા બિરબિલનું નિધન થયું

Thursday 21st September 2023 08:42 EDT
 
 

હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કોમેડી અભિનેતા બિરબલનું 12 સપ્ટેમ્બરે સાંજે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેમના જૂના મિત્ર અને સાથીદાર જુગ્નુએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો જૂનો મિત્ર આજે નથી રહ્યો. તેમનું મૂળ નામ સતીન્દર કુમાર ખોસલા હતું. ‘અનીતા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતા મનોજ કુમાર અને નિર્દેશક રાજ ખોસલાને તેમનું નામ નોન-ફિલ્મી લાગ્યું. આથી તેમણે સતીન્દરકુમાર ખોસલાને બિરબલ નામ આપ્યું હતું. તેમના મિત્ર જુગ્નુએ જણાવ્યું કે તેઓ માનતા હતા કે વી. શાંતારામની ફિલ્મ ‘બૂંદ જો બન ગયે મોતી’એ તેમની કારકિર્દીને નવી ઓળખ આપી. આ ઉપરાંત તેમણે મનોજ કુમાર સાથે ‘રોટી, કપડાં ઔર મકાન’, ‘ક્રાંતિ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય ફિલ્મ ‘રિક્વેસ્ટ’માં તેમનો ડ્રગ એડિક્ટનો રોલ પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. બિરબલે મનોજ કુમારની ફિલ્મ ‘ઉપકાર’થી ડેબ્યૂ કર્યુ હતું. તેમણે હિન્દી, મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની જાણીતી ફિલ્મોમાં ‘અમીર ગરીબ’, ‘રાસ્તે કા પથ્થર’, ‘સુન મેરી લૈલા’, ‘અનીતા’, ‘ઇન્સાન’, ‘એક મહેલ કા સપના હો’, ‘મોહબ્બત કી આરઝૂ’, ‘બૈદક’, ‘ચોરી મેરા કામ’, ‘ઈમાનદાર’, ‘દો બદન’, ‘પગલા કહીં કા’ વગેરે જેવી 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter