KGF-2ના અભિનેતા મોહન જુનેજાનું બેંગલૂરુની હોસ્પિટલમાં અવસાન

Friday 13th May 2022 17:20 EDT
 
 

મુંબઈ: હાલ બોક્સઓફિસ પર ટંકશાળ પાડી રહેલી KGF-2ના અભિનેતા મોહન જુનેજાનું નિધન થયાના સમાચારથી ફિલ્મીચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે તે લાંબા સમયથી બીમાર હોવાથી બેંગલૂરુ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તેને લીવરની બીમારી હતી અને સારવાર દરમિયાન દવાને રિસપોન્સ આપવાનું છોડી દીધું હતું.   મોહને 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે તમિલ, તેલુગુ, મલયાલમ અને હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે. તે KGFના પહેલા પાર્ટમાં પણ ભૂમિકા ભજવી હતી.  મોહન જુનેજાએ કારકિર્દીની શરૂઆત શંકર નાગની ફિલ્મ વોલ પોસ્ટરથી કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter