અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાનું નિધન

Thursday 16th September 2021 07:55 EDT
 
 

અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાનું આઠમી સપ્ટેમ્બરે ૭૭ વરસની વયે નિધન થયું છે. તેઓ છ દિવસથી મુંબઇની હીરાનંદાની હોસ્પિટલના આઇસીયુમાં સારવાર લઇ રહ્યા હતા. માતાની તબિયત કથળ્યાની જાણ થતાં જ અક્ષય બ્રિટનથી શૂટિંગ પડતું મુકીને મુંબઇ દોડી આવ્યો હતો. અક્ષયે માતાના અંતિમ સંસ્કાર મુંબઇના પાર્લાના સ્મશાનમાં કર્યા હતા. અક્ષય કુમારનો જન્મદિવસ ૯ સપ્ટેમ્બરના છે જ્યારે માતાએ પુત્રના જન્મદિવસના આગલા દિવસે જ અંતિમ શ્વાસ લીધા હતા.
અક્ષયે માતાના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેણે પોસ્ટ કર્યું હતુંઃ મારી માતા મારી કરોડરજ્જુ સમાન હતી. આજે હું બહુ જ વ્યથા અનુભવી રહ્યો છું. મારા માતા અરુણા ભાટિયા આજે સવારે શાંતિથી આ દુનિયા છોડીને બીજી દુનિયામાં જતાં રહ્યાં છે. તેઓ મારા પિતા સાથે ફરી મળી ગયા છે. હું તમારા સહુની પ્રાર્થનાનું સમ્માન કરું છું. ૐ શાંતિ.’
અક્ષય કુમારને માતાના નિધન પર તેના પ્રશંસકો અને બોલિવૂડ સેલિબ્રિટીએ શ્રદ્ધાંજલિ આપી છે. જેમાં અજય દેવગણ, ડાયરેકટર મધુર ભંડારકર, નિમ્રત કૌર તેમજ અન્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના ખાસ મિત્રો સાજિદ ખાન, ધર્મેન્દ્ર, રિતેશ દેશમુખ, ચંકી પાંડે , રમેશ તોરાની, ડાયરેકટર અબ્બાસ-મસ્તાન, રોહિત શેટ્ટી, ભૂષણ કુમાર તેમજ અન્યો સ્મશાનમાં પણ તેની પડખે હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter