અક્ષયની નાસિક હેલિકોપ્ટરની ટ્રીપ પર વિવાદ : પરમિશન કેવી રીતે મળી?

Thursday 23rd July 2020 08:34 EDT
 
 

લોકડાઉનમાં અભિનેતા અક્ષયકુમારની નાસિકની હેલિકોપ્ટર દ્વારા યાત્રા પર વિવાદ ઉભો થયો છે. મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે એવું જણાવ્યું છે કે, અક્ષયકુમારે હવાઈ મુસાફરી માટે સ્પેશિયલ પરમિશન લીધી છે. તેમછતાં પણ જો કોઈને તેમાં કંઈ અજુગતું લાગતું હશે તો તેઓ તપાસના આદેશ આપશે. મને આ સંબંધમાં એવી ફરિયાદ મળી છે કે લોકડાઉનમાં તેમને કેવી રીતે હવાઈ મુસાફરીની પરમિશન અપાઈ, શું કંઈ ખોટું થયું છે તે માટે અધિકારીઓની પણ તપાસ કરવામાં આવશે.
અક્ષયકુમારના પ્રવક્તાએ તો આ અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કરીને જણાવ્યું છે કે અક્ષયકુમારે નાસિકના એક મંદિરના દર્શન કરવા માટે હવાઈ મુસાફરીની સ્પેશિયલ પરમિશન લીધી હતી. પરમિશન લીધા બાદ તેઓ હેલિકોપ્ટરમાં નાસિક ગયા હતા. છગન ભુજબળે કહ્યું કે મને અક્ષયકુમારની નાસિક ટ્રીપના સમાચાર અખબાર વાંચીને મળ્યા હતા. તેઓ ક્યારે ગયા તેની મને કોઈ ખબર નથી. હું તેની તપાસ કરીશ. અક્ષયકુમાર ત્ર્યંબકેશ્વરમાં દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમણે તેમના દર્શનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter