અભિષેક - ઐશ્વર્યાના છૂટાછેડાની અટકળો

Wednesday 13th December 2023 07:12 EST
 
 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બચ્ચન પરિવારને આદર્શ માનવામાં આવે છે. એક જ પરિવારમાં ચાર મોટાં સ્ટાર્સ હોવા છતાં પરિવારમાં ક્યાંય ખટરાગ જોવા મળ્યો નથી. જોકે પાછલા કેટલાક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના સંબંધો છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા હોવાની અટકળો વધી છે. આ સાથે બચ્ચન પરિવાર પણ ઐશ્વર્યાથી નારાજ હોવાની છાપ ઊભી થઈ છે. અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યા રાયને અનફોલો કરી હોવાનો દાવો એક પોસ્ટમાં થયો હતો. ત્યારબાદ આ ચર્ચાને વધારે વેગ મળ્યો છે. આમ, તો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના લગ્નજીવનમાં ભંગાણ અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. તેમની વચ્ચે મતભેદ હોવાનું અગાઉ પ્રકાશમાં આવ્યું છે. ઐશ્વર્યા અને અભિષેક લાંબા સમયથી કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા નથી. અભિષેક બચ્ચનની હાજરી હોય તેવી જગ્યાએ ઐશ્વર્યા જોવા મળતી નથી. જેના કારણે મતભેદો વકર્યા હોવાની અટકળો વધી છે. લાંબા સમય બાદ આ કપલને ‘ધ આર્ચીઝ’ના સ્ક્રિનિંગમાં સાથે હાજરી આપી હતી.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter