એક્ટર અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મંગલસૂત્ર સાથે એક તસવીર શેર કરી હતી. મંગળસૂત્ર સાથેની આ તસવીર જોતાં જ ફેન્સને સવાલો થયાં હતાં કે શું અર્જુન મલાઈકા સાથે સપ્તપદીના ફેરા ફરવાની તૈયારી કરી રહ્યો છે. જોકે વાત એમ છે કે ફિલ્મ ‘કી એન્ડ કા’ના પાંચ વર્ષ પૂરા થવા પ્રસંગે અર્જુને મંગળસૂત્ર સાથેની તસવીર શેર કરી હતી. ફિલ્મમાં અર્જુનની પત્નીનું પાત્ર કરીનાએ ભજવ્યું હતું. અર્જુને ફોટો કેપ્શનમાં લખ્યું હતુંઃ ‘કી એન્ડ કાની યાદોનો એક ટુકડો. સેટને પણ મિસ કરી રહ્યો છું અને ઓનસ્ક્રીનને પણ. આ ફિલ્મ ઘણી વ્યક્તિગત હતી કેમ કે મેં તેને મારા મમ્મી માટે પસંદ કરી હતી. એક્ટર કરીના કપૂર અને બાલ્કી સર સાથે કામ કરીને તો આ ફિલ્મ મારા માટે વધારે પર્સનલ બની ગઈ છે. મને લાગે છે કે આની સિક્વલની જરૂર છે. આ અંગે કરીના કપુર-ખાનનું શું કહેવું છે?’