પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ત્રીજા મેરેજની તૈયારીમાં છે?! મીડિયામાં વાતો તો કંઇક આવી જ ચાલે છે. બીજી પત્ની કિરણ સાથે ડિવોર્સ લઈ રહ્યાની જાહેરાત આમિર ખાને ઓગસ્ટ મહિનામાં કરી હતી. ફિલ્મમેકર કિરણ રાવ અને આમિરના મેરેજ ૨૦૦૫માં થયા હતા. શૂટિંગથી માંડીને સોશિયલ ગેધરિંગ્સ અને પ્રમોશન સહિત વિવિધ પ્રસંગે પર આ કપલ સાથે જોવા મળતું હતું. તેઓ અલગ થઇ રહ્યાના અહેવાલોથી ફેન્સથી માંડીને ઇન્ડસ્ટ્રીએ આંચકો અનુભવ્યો હતો. આ સાથે જ આમિર ખાન એક્સ કો-સ્ટાર સાથે મેરેજ કરે તેવી ચર્ચાઓ પણ ચાલી હતી. આ દરમિયાન વાત લાલસિંઘ ચઢ્ઢા ફિલ્મની રિલિઝ પર આવીને અટકી હતી. હવે અહેવાલ છે કે, એપ્રિલમાં લાલસિંઘ ચઢ્ઢા રિલિઝ થયા બાદ આમિર ત્રીજા મેરેજ કરશે.
૨૦૦૫માં કિરણ રાવ સાથે મેરેજ બાદ દીકરા આઝાદનો જન્મ થયો હતો. પહેલી પત્ની રીના દત્તાના સંતાનો જુનૈદ અને ઈરા સાથે પણ કિરણની નિકટતા છે. કિરણ અને આમિર બંનેએ સેપરેશનના ન્યૂઝ કન્ફર્મ કરી દીધા છે, ત્યારે હવે આમિરના ત્રીજા મેરેજની વાતો ચાલવાનું નેચરલ છે. જોકે આ મામલે સોશિયલ મીડિયા પર કેવું રિએક્શન આવશે તે કહેવું અઘરું છે. આથી જ આમિરે લાલસિંઘ ચઢ્ઢાની રિલિઝ બાદ ત્રીજા મેરેજ અંગે એનાઉન્સ કરવાનું વિચાર્યું છે. પર્સનલ લાઈફના ક્રિટિઝમની અસર ફિલ્મ પર ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ એક વખત આમિર ખાનનું નામ તેની એક્સ કો-સ્ટાર સાથે ઉછળ્યું હતું. આમિર ખાન તેની દીકરી જેટલી ઉંમરની એક્ટર સાથે ત્રીજા મેરેજ કરવાનો હોવાના ન્યૂઝથી કોન્ટ્રોવર્સી ઊભી થઈ હતી. આ ન્યૂઝ કન્ફર્મ થયા નહતા, પરંતુ હવે આમિર ખાને વિવાદ રોકવા ચૂપકિદી ધારણ કરી લીધી છે.