મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પછી અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. અમિતાભ અને અભિષેક નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યા પહેલાં પોતાના ઘરમાં જ સારવાર લઈ રહ્યાં હતાં. જોકે ૧૭મી જુલાઈએ સમાચાર આવ્યાં કે ઐશ્વર્યા અને આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઐશ્વર્યા અને આરાધ્યા બંનેની ઘરમાં સારવાર ચાલતી હતી તે દરમિયાન બંનેને થોડો તાવ આવ્યો હોવાનું જણાયું હતું. એ પછી બંનેને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાત્રે ૮:૩૦ વાગ્યે હોસ્પિટલની એમ્બ્યુલન્સ માતા-પુત્રીને લઈને ગઈ હતી. સુરક્ષાને કારણે પોલીસની ત્રણ ગાડી પણ જલસા પર પહોંચી હતી.
૧૧ જુલાઈએ અમિતાભ અને અભિષેક કોરોના પોઝિટિવ આવ્યા હતા. એ પછી તેમના પરિવાર અને સ્ટાફની તપાસ થઈ હતી. બીજા દિવસે રવિવારે ઐશ્વર્યા અને આરાધ્યામાં હળવા લક્ષણ નોંધાયાં હતાં. ઐશ્વર્યાએ કહ્યું કે તેને તાવ આવ્યો નથી કે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી નથી. ત્યાર પછી ક્વોરેન્ટાઈનના નિયમ મુજબ તેમને ઘરે જ રાખવા નિર્ણય કરાયો હતો. જોકે એ પછીથી માતા અને પુત્રીને બંનેને તાવની તકલીફ થતાં બંનેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.