નિર્માતા કરણ જોહર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા-નવા ચહેરાઓને તક આપવા માટે જાણીતો છે. તેણે અત્યાર સુધીમાં ઘણા સ્ટાર કિડસ અને યંગ ટેલેન્ટને પોતાની ફિલ્મમાં મોકો આપ્યો છે. પોતાની આ પરંપરાને ચાલુ રાખીને નિર્માતાએ આગામી ફિલ્મ ‘બેધડક’માં ત્રણ સિતારાને લોન્ચ કર્યા હોવાની ઘોષણા કરી છે. ફિલ્મમાં કરણે રજૂ કરેલા નવા સિતારાઓમાં લક્ષ્ય, શનાયા કપૂર અને ગુરફતેહ પીરઝાદાનો સમાવેશ થાય છે. શનાયા કપૂર સંજય - મહીપ કપૂરની પુત્રી છે જે આ ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. કરણ જોહર નિર્મિત અને શશાંક ખૈતાન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘બેધડક’માં આ ત્રિપુટી જોવા મળવાની છે. કરણે સોશ્યલ મીડિયા પર પોતાની નવી ફિલ્મની ઘોષણા કરતા ફિલ્મના થોડા પોસ્ટર પણ શેર કર્યા છે. જેમાં તેણે કેપ્શનમાં ફિલ્મ સાથે જોડાયેલી જાણકારીઓ પણ આપી છે.
નિર્માતાએ પ્રથમ પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, છે કે, એનું હાસ્ય તમારા દિલને ચોક્કસ પીગળાવી દેશે. કરણનું પાત્ર નિભાવનાર લક્ષ્યને ઓળખી લો. બીજું પોસ્ટર શેર કરતાં કરણે લખ્યું છે કે, ‘બેધડક’માં નિમરતનું પાત્ર ભજવનારી સુંદર શનાયા કપૂર અંગદાના પાત્રને બહુ જ સરળતાથી ભજવી જશે. આમ તો શનાયા કપૂરે બોલિવૂડમાં બે વરસ પહેલા જ કારકિર્દી શરૂ કરી ચૂકી છે, પણ હીરોઇન તરીકે તેની આ પહેલી ફિલ્મ હશે. શનાયાએ ફિલ્મ ‘ગુંજન સકસેના’માં આસિસ્ટંટ ડાયરેકટર તરીકે કામ કર્યું હતું. જોકે હવે તે કરણની ફિલ્મમાં અભિનેત્રી તરીકે જોવા મળવાની છે.