કાર્તિક અને કરણે હાથ મિલાવ્યા

Friday 25th August 2023 07:15 EDT
 
 

કરણ જોહરે કાર્તિક આર્યનને ‘દોસ્તાના-ટુ’માંથી બહુ ખરાબ રીતે હાંકી કાઢ્યો હતો અને કાર્તિકને કારણે પોતાને રૂ. 20 કરોડનું નુકસાન થયું હોવાની સત્તાવાર પોસ્ટ પણ મૂકી હતી. જોકે હવે કરણ જોહરે તેને ફરી પોતાની છાવણીમાં સામેલ કરી દીધો છે. તો બીજી તરફ કાર્તિક પણ કરણ સાથ ફરી દોસ્તીમાં કશું ગુમાવવાનું નહીં હોવાથી તે પણ અપમાન ભૂલીને ફરી તેની સાથે થઈ ગયો છે. કરણ અને કાર્તિક ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલની ઈવેન્ટમાં સાથે થઈ ગયા હતા. તે વખતે એક સંવાદમાં કરણને કાર્તિક સાથે ફરી કામ કરવા વિશે પૂછાયું હતું. ત્યારે કરણે જણાવ્યુ હતું કે, અમે ભૂતકાળમાં સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ ગયો હતો. પરંતુ અમે સાથે કામ કરવા માટે વિચારી રહ્યા છીએ અને મને આશા છે કે તેનું સારુ પરિણામ આવશે.
'દોસ્તાના ટૂ'માં કાર્તિક સાથે જ્હાન્વી કપૂરની જોડી નક્કી થઈ હતી. ફિલ્મનું કેટલુંક શૂટિંગ પણ થયું હતું. જોકે, તે વખતે જ કાર્તિક અને જ્હાન્વીનું બ્રેકઅપ થઈ જતાં કરણે કાર્તિકને ફિલ્મમાંથી કાઢી મૂક્યો હતો. તે વખતે કરણે પોતાને કાર્તિકના અનપ્રોફેશનલ વલણને કારણે 20 કરોડનું નુકસાન થયાનો દાવો કર્યો હતો. આ પછી એ ફિલ્મ અભેરાઈ પર જ ચઢી ગઈ છે. કરણે કાર્તિક આર્યનની કેરિયર પૂરી થઈ જાય તે માટે ભરચક પ્રયાસો કર્યા હોવાનું કહેવાય છે. જોકે, 'ભૂલભૂલૈયા ટૂ' જેવી ફિલ્મોની સફળતા બાદ કાર્તિકનો ઘોડો વિનમાં છે અને તેથી કરણ જોહરે ફરી તેને પોતાની છાવણીમાં સામેલ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter