રમઝાન ઇદનાં પર્વે ગયા ગુરુવારે શાહરુખ ખાનના બંગલો ‘મન્નત’ બહાર મોટી સંખ્યામાં ફિલ્મચાહકો તેની એક ઝલક મેળવવા ઉમટ્યા હતા. તો કિંગ ખાને પણ તેમને નિરાશ કર્યા નહોતા અને બંગલોની બહાર આવીને ચાહકોને રમઝાન ઇદની શુભકામના પાઠવી હતી.