ક્રિષ્નારાજ તૂટીને ૧૫ માળનું બિલ્ડિંગ બનશે

Friday 26th February 2016 06:34 EST
 

કપૂર ખાનદાનની સ્ટાર જોડી રિશિ - નીતુ અત્યારે જ્યાં રહે છે તે પાલિ હિલમાં આવેલો ક્રિષ્નારાજ બંગલો તોડીને ૧૫ માળનું બિલ્ડિંગ બનાવવાનું વિચારી રહ્યાં છે. જોકે, મુંબઈ મહાનગર પાલિકા તરફથી તમામ પરવાનગી મળ્યા બાદ બંગલો તોડવામાં આવશે. રિશિ - નીતુ આ બંગલામાં છેલ્લાં ૩૫ વર્ષથી રહે છે. ૧૯૮૦માં આ બંગલો ખરીદવામાં આવ્યો હતો. આ બંગલાના બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને પહેલા છ માળે તો માત્ર પાર્કિંગ જ હશે. કારણ કે કપૂર પરિવાર પાસે ૪૫થી વધુ ગાડીઓ છે. આ પછીના ફ્લોર પર રહેવા માટેની વ્યવસ્થા હશે. બિલ્ડિંગના ટેરેસ પર સ્વિમિંગ પુલ અને એક લોન્જ પણ બનાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter