ખુશી અને શાંતિ માટે લગ્નવિચ્છેદઃ કીર્તિ

Sunday 04th July 2021 07:27 EDT
 
 

એક્ટ્રેસ કીર્તિ કુલ્હારી પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી ચૂકી છે. હાલમાં તેણે પતિ સાહિલ સહગલથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે તેણે એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલીને વાત કરતાં જણાવ્યું છે કે અમે પ્રેમમાં એકસાથે પડ્યાં અને અમારું જીવન એકબીજા સાથે પસાર કર્યું. આ લગ્નજીવનથી હું ઘણું શીખી છું. મારા જીવનમાં સાહિલનો બહુ મોટો રોલ છે અને આજે હું પ્રોફેશનલી તેમજ પર્સનલી જે જગ્યા પર છું એમાં સાહિલનો મોટો ફાળો છે. હવે અમે જીવનમાં સાથે ન રહેવાનો નિર્ણય લીધો છે એની પાછળ પણ કેટલાક કારણો છે. મને જીવનમાં ખુશી અને શાંતિ જોઈએ છે અને લગ્નજીવનમાં મને આ લાગણી નહોતી મળી રહી. મેં મારા લગ્નને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો પણ હું એને બચાવી ન શકી.
કીર્તિના પિતા પણ તેની દીકરીના નિર્ણય સાથે સંમત છે, પરંતુ તેના માતા ઈચ્છતાં હતાં કે કીર્તિ અને સાહિલ પોતાના લગ્નજીવનને હજી તક આપે. કીર્તિ ડિવોર્સના નિર્ણય વિશે ખુલાસો આપતાં કહે છે કે હું જીવનમાં ખુશી અને શાંતિનો અનુભવ નહોતી કરી રહી જેના કારણે મને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter