જહાન્વી-શિખરના સંબંધોને બોનીની સ્વીકૃતિ

Monday 08th April 2024 06:24 EDT
 
 

બોની કપૂરે દીકરી જ્હાન્વી કપૂરના શિખર પહાડિયા સાથેના સંબંધોનો જાહેર સ્વીકાર કર્યો છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે કે શિખર ક્યારેય જ્હાન્વીનો સાથ નહીં છોડે.
જ્હાન્વી અને શિખર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શિખર જ્હાન્વી સાથે જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર સાથે પણ દરેક પ્રસંગોમાં દેખાય છે અને કપૂર પરિવાર સાથે પિકનિકથી માંડીને ધાર્મિક દર્શને પણ જાય છે.
જોકે, બોનીએ પહેલી વાર જ્હાન્વી-શિખરના સંબંધો વિશે નિખાલસ વાત કરી છે. બોનીએ કહ્યું હતું કે શિખર જ્હાન્વીની જિંદગીમાં આવ્યો તે પહેલાંથી તેના પરિવાર સાથે અમારા સારા સંબંધો છે. હું શિખરને બહુ વર્ષોથી ઓળખું છું. હું જાણું છું કે શિખર ક્યારેય કોઈનોય સાથ છોડતો નથી. શિખર ક્યારેય જ્હાન્વી માટે એક્સ નહીં બને તેની મને ખાતરી છે. બોનીએ કહ્યું હતું કે એક વ્યક્તિ તરીકે તેમને પોતાને પણ શિખર બહુ પસંદ છે અને તેમના સહિત સમગ્ર પરિવાર શિખરને બહુ સન્માન આપે છે. બોનીની આ જાહેર કબૂલાત પછી હવે શિખર અને જ્હાન્વી નજીકના ભવિષ્યમાં સગાઈ વિશે જાહેરાત કરી શકે છે તેવી અટકળો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter