જ્હાન્વી ઘૂંટણભેર તિરુપતિ મંદિરના 500 પગથિયાં ચઢી

Sunday 31st March 2024 13:07 EDT
 
 

જ્હાન્વી કપૂરનો ઘૂંટણભેર મંદિરનાં પગથિયાં ચઢતો વીડિયો વાયરલ થયો છે. તે કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે આ રીતે તિરુપતિ બાલાજી ખાતે દર્શને ગઈ હોવાનું કહેવાય છે. આ મંદિરનાં આમ તો 3000 સ્ટેપ છે પરંતુ તેમાંથી 500 પગથિયાં ઘૂંટણભેર ચઢવાની અનેક શ્રદ્ધાળુઓ બાધા લેતા હોય છે. જ્હાન્વીની સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને સોશિયલ મીડિયા સ્ટાર મિત્ર ઓરી પણ સાથે હતા. ઓરી પણ જ્હાન્વી સાથે ઘૂંટણભેર પગથિયાં ચઢયો હતો. જોકે, હવે ઓરીએ એવો ઘટસ્ફોટ કર્યો છે કે જ્હાન્વીની એક ખાસ મન્નત હતી એટલે તે લોકો દર્શને ગયા હતા અને જ્હાન્વીને કંપની આપવા માટે પોતે પણ તેની સાથે આ રીતે ઘૂંટણભેર પગથિયાં ચઢયો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter