મુંબઇ: ‘રામાયણ’, ‘મહાભારત’, શાહરૂખ ખાનની ‘સર્કસ’ અને બાળકોની ફેવરિટ સુપરહીરો સિરિઝ ‘શક્તિમાન’ પણ પુનઃ પ્રસારણ પામવાથી દર્શકો હાલમાં ખૂબ જ ખુશ છે. ૧૯૮૭માં પ્રસારિત થયેલી ‘રામાયણ’ એ સમયમાં પણ ઘણી લોકપ્રિય હતી અને હાલમાં પણ લોકપ્રિય છે.
‘રામાયણ’ને લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો છે કે તેણે રેકોર્ડ તોડી નાંખ્યો છે. શરૂઆતના પ્રથમ સપ્તાહમાં જ ટોટલ રૂ. ૧૭ કરોડ લોકોએ સિરિયલ નિહાળી હતી ત્યારથી અંદાજ હતો કે રામાયણ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડશે. આ ધારણા સાચી પણ પડી રહી છે. આ સાથે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં ‘રામાયણ’ને હાઇએસ્ટ ટીઆરપી હાંસલ થયો છે. હજી પણ આ ટીઆરપીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જોકે કોરોનાના કારણે ટીવી ઇન્ડસ્ટ્રીએ ચાલતી સિરિયલ્સ અને શોનાં શૂટિંગ બંધ રાખવાની ફરજ પડી તેથી રોજ રૂ. ૧૦૦ કરોડનું નુકસાન થઇ રહ્યું હોવાનું જાણવા મળે છે.
જો સ્થિતિ આગળ આમ જ રહી તો આંકડો વધી શકે છે. ઇન્ડિયન ફિલ્મ-ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલના ચેરમેન જે ડી મજેઠિયાએ જણાવ્યું છે કે, દરેક ચેનલ પાસે ૫-૭ નવા એસિસોડનું કેન્ટેટ હતું. તેથી તમામ શોનું રિપિટ ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો જ્યારે ઘણા હોલિવૂડ પર આધારિત શો તો અધૂરા જ રહેતા તે શો બંધ થવાનું સંકટ તોળાઇ રહ્યું છે.