દક્ષિણની ફિલ્મોના ૭૦ વર્ષીય સુપરસ્ટાર રજનીકાંતને હાઈ બ્લડ પ્રેશરને કારણે ૨૫મી ડિસેમ્બરે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાઈ બ્લડ પ્રેશરને કારણે તેમને હાલમાં સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ અપાઈ હતી. રજની હૈદરાબાદમાં તેમની આગામી ફિલ્મ ‘અન્નાથે’ના શૂટિંગ માટે આવ્યા હતા. જોકે ફિલ્મના ક્રૂના ચાર લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શૂટિંગ બંધ કરાયું હતું. રજનીકાંતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રજનીને અગાઉ રિનલ ટ્રાન્સપ્લાન્ટ પછી ઓક્ટોબર મહિનામાં પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હોસ્પિટલે બહાર પાડેલા સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે, રજનીકાંતની તબિયત સુધારા પર છે. તપાસમાં હજુ સુધી કઈ ચિંતાજનક જણાયું નથી. તેમને સંપૂર્ણ આરામની સલાહ અપાઈ છે અને વિઝિટર્સને મળવાની મનાઈ કરાઈ છે.