બોલિવૂડ એક્ટર દિલીપકુમારની તબિયત હાલમાં સુધરી રહી છે. તાજેતરમાં જારી થયેલી એક તસવીર પરથી તેનો અંદાજ આવી જાય છે. તેમને કિડની સંબંધી કોઇ બીમારી છે અને તેની સારવાર ચાલી રહી છે.
દિલીપકુમારને તાજેતરમાં ડિહાઇડ્રેશનને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્રીજી ઓગસ્ટે થોડાક કલાક માટે તેમને ઇન્સેન્ટિવ કેરમાં રખાયા હતા, પરંતુ હવે તેઓની તબિયત સુધરી રહી છે. જોકે કિડની સંબંધી બીમારી હજુ સારી થઇ નથી. જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં દાખલ કરાતાં પહેલાં દિલીપકુમારને તાવ હતો. દિલીપકુમારની ભત્રીજી અને એક્ટ્રેસ સાયશાની માતા શાહિને ટ્વિટ કરીને તેમની તબિયતની માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, યુસુફઅંકલ ઝડપથી સાજા થઇ જશે.