દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને શ્વાસની તકલીફ થતાં વીતેલા સપ્તાહે મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જોકે, આખરે ૧૧ જૂને ૯૮ વર્ષીય દિલીપકુમારે બીમારીને મ્હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે. દિલીપકુમારના ટ્વિટર હેન્ડલ દ્વારા જ આ માહિતી આપવામાં આવ્યા બાદ તેમના ચાહકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. ટ્વિટમાં લખ્યું હતુંઃ આપ સૌની દુઆ અને પ્રાર્થના સાથે દિલીપસા’બ હોસ્પિટલથી તેમના ઘરે જઈ રહ્યા છે. આપ સૌના અસીમ પ્રેમ અને સ્નેહ કાયમ સાહેબના હૃદયને સ્પર્શી જાય છે. અલબત્ત, આ ટ્વિટ દિલીપકુમારના ફેમિલી ફ્રેન્ડ ફૈઝલ ફારુકીએ તેમની હેલ્થ અપડેટ આપતાં કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલીપકુમારને ફેફસાંમાં પાણી ભરાઇ ગયું હતું.