દીકરી-જમાઇનો ઘરસંસાર ટકાવવા રજનીકાન્તના પ્રયાસ

Saturday 05th February 2022 06:02 EST
 
 

દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાન્તના પુત્રી-જમાઇ ઐશ્વર્યા-ધનુષ છૂટાછેડા છેડા લઇ રહ્યા છે. અને પિતા રજનીકાન્ત આ લગ્ન તૂટે નહીં તે માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ યુગલ વચ્ચે અણબનાવ થયા છે અને દરેક વખતે રજનીકાન્તે બાજી સંભાળી લીધી છે. તેથી લોકોને આશા છે કે, આ વખતે પણ તે આ લગ્નને તૂટવા નહીં દે. અહેવાલ અનુસાર, પુત્રી છેટાછેડા લેવાની છે તે વાતથી રજનીકાન્ત વ્યથિત છે. તેઓ ઐશ્વર્યાને સંબંધ તોડવા સરળ વાત નથી તેમ કહીને છૂટાછેડા ન લેવા સમજાવી રહ્યા છે. રજનીકાન્ત ઇચ્છે છે કે, પુત્રી લગ્નજીવનને પહેલાની માફક જ ગંભીરતાથી લે. એક વાત એવી પણ છે કે, રજનીકાન્ત તો જમાઇ ધનુષને પણ મળવા માગે છે કે જેથી તેને લગ્ન ન તોડવા સમજાવી શકાય, પરંતુ ધનુષ મુલાકાત ટાળી રહ્યો છે.
ધનુષના પિતા કસ્તૂરી રાજાએ પણ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ છૂટાછેડાને પારિવારિક વિખવાદ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ એક પતિ-પત્ની વચ્ચેનો સામાન્ય ઝઘડો છે જે દરેક પરિવારમાં થતો હોય છે. ધનુષ અને ઐશ્વર્યા બન્નેમાંથી કોઇનો પરિવાર નથી ઇચ્છતો કે તેઓ છૂટા પડે. આથ તેઓ બન્નેને સલાહ આપી રહ્યા છે કે, તેમણે પોતાના નિર્ણાય પર ફેરવિચાર કરવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter