નસીરુદ્દીનને ઓનોમેટોમેનિયા બીમારી

Monday 21st March 2022 05:36 EDT
 
 

દિગ્ગજ ફિલ્મ અભિનેતા ૭૧ વર્ષીય નસીરુદ્દીન શાહ એક બીમારીથી પીડાઇ રહ્યા છે. હાલમાં જ તેમણે પોતાના સ્વાસ્થ્ય વિશે સ્પષ્ટતા કરી હતી. નસીરુદ્દીને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ ઓનોમેટોમેનિયા નામની બીમારીથી પીડાઇ રહ્યા છે, જેના કારણે તેઓ એકની એક વાત વારંવાર કર્યા કરે છે. તેણે આ બીમારી વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની તકલીફ એ એક મેડિકલ કંડીશન છે. હું મજાક નથી કરતો, તમે ઇચ્છો તો ડિકશનરીમાં પણ આ ચેક કરી શકો છો. આ એક એવી સ્થિતિ છે, જેમાં તમે તમારા શબ્દો અને વાક્યોને વારંવાર રિપીટ કરતા હો છો. હું કદી આરામથી બેસી શકતો જ નથી. મારી આ તકલીફ એટલી હદે વધી ગઇ છે કે, મારી મનપસંદ વાતને હું નિંદ્રામાં પણ બોલતો હોઉં છું.નસીરુદ્દીન હાલમાં જ દીપિકા પદુકોણ સાથેની ફિલ્મ ‘ગહરાઇયાં’માં જોવા મળ્યા હતા. આ પહેલા તેઓ એક વેબ-શો ‘કૌન બનેગા શિખરાવટી’માં કર્જમાં ડૂબેલા રાજના રોલમાં જોવા મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter