નુસરત જહાં ગૂપચૂપ લગ્નબંધને બંધાઇ?!

Tuesday 19th October 2021 15:37 EDT
 
 

તૃણમૂલ સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. બાળકને કારણે નુસરત પર સવાલો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક બાળકના પિતા અંગે તો ક્યારેક યશ દાસગુપ્તાના સંબંધો અંગે પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. નસુરતે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. હાલમાં જ નુસરતે સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી હતી અને આ તસવીરો પરથી લાગી રહ્યું છે કે નુસરતે (ગૂપચૂપ) લગ્ન કરી લીધાં છે.
હાલમાં જ નુસરત જહાંએ યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયામાં આ તસવીરો શેર કરી હતી, જેમાંથી એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં યશ દાસગુપ્તાની બર્થડે કેક જોવા મળે છે.
આ કેક પર હેપ્પી બર્થડે હસબન્ડ તથા ડેડ લખેલું છે. આ તસવીર જોયા બાદ ચાહકો અટકળ કરી રહ્યા છે કે નુસરતે યશ સાથે લગ્ન કરી લીધાં છે. જોકે બંનેમાંથી કોઈએ લગ્ન અંગે કોઈ વાત કરી નથી. આ તસવીરો આજકાલ બહુ જ વાઇરલ થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter