પરિણિતી-રાઘવે માત્ર 11 રૂપિયાનો ચાંલ્લો સ્વીકાર્યો

Thursday 05th October 2023 09:51 EDT
 
 

પરિણિતી અને રાઘવે તેમનાં લગ્નમાં મહેમાનો પાસેથી શુકનરૂપે માત્ર 11 રૂપિયાનો ચાંલ્લો જ સ્વીકાર્યો હોવાની વાત બહાર આવી છે. પરિણિતી-રાઘવે લગ્નમાં આમંત્રિત મહેમાનો પાસેથી કોઇ પણ ભેટ કે મોટી રકમનો ચાંદલો સ્વીકાર્યો નથી. યુગલે નો ગિફ્ટ પોલિસી અપનાવી હતી. લગ્નમાં હાજર સાનિયા મિર્ઝાને પત્રકારોએ લગ્નમાં શું ગિફ્ટ આપી તેવું પૂછતાં સાનિયાએ કહ્યું હતું કે મેં માત્ર આશીર્વાદ આપ્યા છે. પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ પણ કહ્યું હતું કે તેમણે કોઈ ગિફ્ટ આપી નથી પરંતુ માત્ર આશીર્વાદ આપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter