પહેલી કિસની એનિવર્સરીએ આયરા-નૂપુર લગ્નબંધને બંધાશે

Sunday 05th November 2023 09:54 EST
 
 

આમિર ખાન અને રીના દત્તની પુત્રી આયરા ખાન તથા નૂપુર શિખરેના લગ્ન આગામી ત્રીજી જાન્યુઆરીએ થવાનાં છે. પણ ત્રીજી જાન્યુઆરીએ જ લગ્ન કેમ?! આયરા તથા નૂપુરે આ તારીખની પસંદગી પાછળનું રહસ્ય છતું કરતાં કહ્યું છે કે તેમણે પહેલી વાર ત્રીજી જાન્યુઆરીએ એકમેકને કિસ કરી હતી. આ ફર્સ્ટ કિસને યાદગાર બનાવવા તેમણે આ તારીખે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
ત્રીજી જાન્યુઆરીએ તેઓ મુંબઈમાં કોર્ટ મેરેજ કરશે. બાદમાં ઉદયપુરમાં ભપકાદાર લગ્ન સમારોહ યોજાશે. આ પછી 13 જાન્યુઆરીએ મુંબઈમાં આમિરના બોલિવૂડના મિત્રો માટે રિસેપ્શન યોજશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને લગ્નના રિસેપ્શનમાં આમિર પોતે જ આમંત્રણ આપવાનો છે. આ લગ્નમાં સેલેબ્રિટીઓનો મેળો જામશે તે સહજ છે, જેમાં યુવા કલાકારોથી લઇને સિનિયર એક્ટર્સને આમંત્રણ અપાશે.
આયરા અને નૂપુર ત્રીજી જાન્યુઆરીના રોજ મુંબઇમાં કોર્ટમેરેજ કરીને ઉદયપુર માટે રવાના થઇ જશે. તેમની લગ્નનીવિધિ ત્રણ દિવસની એટલે કે 8થી 10 તારીખ સુધી યોજાશે. જેમાં માત્ર પરિવારજનો અને અંગત મિત્રોને આમંત્રણ હશે. આમિરે જાતે થોડા દિવસો પહેલાં લગ્નની તારીખ જાહેર કરતા કહ્યું હતું કે પોતે બહુ જ ભાવુક બની ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter