ફિલ્મ-ટીવી અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન

Thursday 11th August 2022 06:38 EDT
 
 

ફિલ્મ તથા ટીવીના લોકપ્રિય એકટર મિથિલેશ કુમારે ત્રણ ઓગસ્ટના રોજ લખનઉમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ હૃદય સંબંધિત બીમારીથી પીડાતા હતા. મિથિલેશને થોડા દિવસ પેલાં જ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેઓ પોતાના હોમટાઉન લખનઉ શિફ્ટ થઈ ગયા હતા. રાકેશ રોશન જ્યારે ‘કોઈ મીલ ગયા...’ ફિલ્મ પર કામ કરતા હતા ત્યારે તેમણે ફિલ્મ ‘ફિઝા’ જોઈ હતી. ફિલ્મના એક સીનમાં કરિશ્મા કપૂર એક્ટર મિથિલેશ પર પાણી ફેંકે છે. આ સીન રાકેશ રોશનને ઘણો જ પસંદ આવ્યો હતો. ત્યારબાદ તેણે મિથિલેશને મળવા બોલાવ્યા હતા અને ફિલ્મ માટે સાઈન કર્યા હતા. મિથિલેશ ચતુર્વેદીએ 1997માં રિલીઝ થયેલી ‘ભાઈભાઈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તો ‘સત્તા’, ‘તાલ’, ‘ફિઝા’, ‘રોડ’, ‘કોઈ મિલ ગયા’, ‘ગાંધી માય ફાધર’, ‘બંટી ઔર બબલી’, ‘સત્યા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 2020માં આવેલી સિરીઝ ‘સ્કેમ 1992’થી તેમણે ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં તેઓ ‘બાંછડા’ ફિલ્મમાં કામ કરતા હતા. થિયેટરમાં પણ સક્રિય હતા. તેમણે પ્રેમ તિવારી, બંસી કૌલ, દીનાનાથ, ઉર્મિલ થપલિયાલ તેમજ અનુપમ ખેરે ડિરેક્ટ કરેલા અનેક નાટકોમાં કામ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter