કેન્સરની બીમારીએ બોલીવૂડના વધુ એક અભિનેતાને સપાટામાં લીધા છે. ગયા વરસે કોરોના મહામારી દરમિયાન સંજય દત્તને કેન્સર થયું હોવાના સમાચાર હતા. હવે મહેશ માંજરેકરને કેન્સરનું નિદાન થયું છે અને તેમની સર્જરી કરાઇ છે.
અહેવાલ અનુસાર, મહેશ માંજરેકરને યૂરિનરી બ્લેડર કેન્સર હોવાનું નિદાન થયું છે. થોડા દિવસો પહેલા જ તેમને કેન્સર થયાની જાણ થઇ હતી. આ પછી ડોકટરોએ તેમને સર્જરી કરાવવાની સલાહ આપી હતી. આ પછી તેમને મુંબઇની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં દસેક દિવસ પહેલા તેમના પર સર્જરી કરાઇ હતી. જોકે હાલ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે અને તેમની તબિયતમાં સુધારો છે. મહેશ માંજરેકર થોડા દિવસો પહેલા પોતાની આવનારી ફિલ્મ અંતિમના શૂટિંગમાં વ્યસ્ત હતા. જેમાં સલમાન ખાન અને આયુષ શર્મા પણ નજરે પડશે.