પીઢ અભિનેતા સંજય દત્તે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ડબ્બાવાળાઓ દાયકાઓથી મુંબઈગરાઓને ઘરનું ભોજન પહોંચાડવાનું કાર્ય કરે છે, પણ હવે તેમન ટેકો આપવાનો આપણો વારો છે. રાજકીય નેતા અસલમ શેખે ટ્વિટ કર્યું હતું કે, મુંબઈની બીજી જીવાદોરી સમાન ડબ્બાવાળા મુંબઈના નોકરિયાતોને ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી અવિરતપણે દરરોજ ભોજન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યાં છે. આથી વર્તમાન કટોકટીકાળમાં મહાવિકાસ આઘાડી સરકાર તેમની પડખે અડીખમ બનીને ઊભી રહેવા પ્રતિબદ્ધ છે. અસલમ શેખે કરેલા આ ટ્વિટ બાદ સંજય દત્તે પણ ડબ્બાવાળાઓ માટે આ સંદેશો વહેતો કર્યો હતો.