મૂલ્યો સાથે બાંધછોડ ના કરી એટલે અનેક પ્રોજેક્ટ ગુમાવ્યા...

Saturday 28th August 2021 06:52 EDT
 
 

અભિનેત્રી નરગિસ ફખરી રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં નજરે પડી હતી. પોતાની માસૂમિયત અને એક્સેન્ટને કારણે દરેકના દિલમાં છવાઈ ગઈ હતી. લોકોએ માની લીધું હતું કે બોલિવૂડમાં વધુ આગળ જશે પરંતુ અફસોસ તે ખૂબ જ ઓફિસમાં જ દેખાઈ. ઘણી વાર સર્જરીને લઈને કે કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કરનાર નરગિસે હવે એક ઈન્ટરવ્યુમાં કેટલાક ખુલાસા કર્યા છે.
એક ઇન્ટરવ્યુમાં નરગિસે પોતાની કરિયરના મુશ્કેલ દિવસોની વાત કરી છે. તેનું કહેવું છે કે ‘મને વૈભવની એવી ભૂખ નથી કે હું ન્યુડ પોઝ આપું કે પછી ડાયરેક્ટર સાથે સૂઈ જાઉ. મેં ઘણી તકો ગુમાવી કારણ કે કેટલીક ચીજો મેં ના જ કરી. આ બાબત દિલ તોડનાર છે. હું ત્યાં ટકી રહેવાની કોશિશ કરું છું, જ્યાં મારું હાઈસ્ટાન્ડર્ડ હોય.’
નરગિસે વધુમાં કહ્યું કે મને ખૂબ ખરાબ લાગે છે કે કારણ કે આ કારણથી મારા હાથમાંથી અનેક પ્રોજેક્ટ્સ જતા રહ્યા. આથી મને દુઃખ થાય છે અને હું પોતાને કહું છું કે જે લોકો પોતાના મૂલ્યો પર ટકી રહેશે તે જીતશે. હંમેશા પોતાની જાત પ્રત્યે ઈમાનદાર રહો. મારા માટે નૈતિક મૂલ્યોથી વિશેષ કંઈ જ નથી. હું ખુશ છું કે હું બોલિવૂડમાં છું કારણ કે ત્યાં ઈન્ટિમેટ સીન નથી.
મોડેલિંગના દિવસોમાં મને ઘણી વાર ટોપલેસ અને નેકેડ શોટ્સ માટે પૂછવામાં આવ્યું હતું, પરંતુ હું આ બધી બાબતથી જરા પણ કમ્ફર્ટેબલ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter