રણધીર કપૂરને ડિમેન્શિયા

Friday 08th April 2022 06:31 EDT
 
 

પીઢ અભિનેતા રણધીર કપૂર ડિમેન્શિયાના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવાનો ખુલાસો તેમના ભત્રીજા અભિનેતા રણબીર કપૂરે ખુલાસો કર્યો છે. 75 વર્ષના આ અભિનેતાએ તાજેતરમાં ‘શર્માજી નમકીન’ ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મમાં તેમના નાના ભાઈ રિશી કપૂર જોવા મળ્યા હતા, જે તેમની છેલ્લી ફિલ્મ હતી. એક મુલાકાતમાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે જ્યારે રણધીર કપૂરે ફિલ્મ નિહાળી ત્યારે તેમનું તત્કાળ રિએક્શન એ હતું કે રિશી કપૂરને ફોન લગાવો. મારા કાકા રણધીર કપૂર ડિમેન્શિયાના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને ફિલ્મ જોયા પછી તેઓ મારી પાસે આવ્યા હતા. એટલું જ નહીં, તેમણે મને કહ્યું હતું કે તારા પિતાને કહે કે આ ફિલ્મમાં અદભૂત અદાકારી કરી છે અને તે ક્યાં છે ચાલો, તેને બોલાવીએ. કળા તમામ તબીબી પરિસ્થિતિઓની સરહદોને ઓળંગે છે. એટલું જ નહીં મુદ્દા, વિખવાદ અને વાર્તા કહેવાનો એક સુંદર હિસ્સો પણ છે, અને ‘શર્માજી નમકીન’ ખરેખર આ વાતને સાકાર કરે છે એમ રણબીરે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter