રામ મંદિર બનાવવા બદલ આભાર.... શિલ્પા શેટ્ટીએ વડાપ્રધાનને પત્ર લખ્યો

Monday 26th February 2024 07:20 EST
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોનો તોટો નથી અને મોદી પણ સિતારાઓને મળતા રહેતા હોય છે. ઘણા સિતારાઓએ તેમના પ્રત્‍યેનો અહોભાવ વારંવાર જાહેરમાં વ્‍યક્‍ત કર્યો છે ત્‍યારે હવે તેમાં વધુ એક નામ ઉમેરાયું છે. અભિનેત્રી અને ફિટનેસ આઈકન શિલ્‍પા શેટ્ટીએ વડાપ્રધાનને એક પત્ર લખ્‍યો છે અને રામ મંદિર બનાવવા બદલ તેમનો આભાર માન્‍યો છે. આ સાથે તેણે લખ્‍યું છે કે ઘણા લોકો ઈતિહાસ વાંચે છે, ઘણા તેમાંથી શીખે છે, પણ તમારા જેવા લોકો ઈતિહાસ બદલી નાખે છે. તેનો આ પત્ર મહારાષ્ટ્ર ભાજપના ટ્‍વીટર હેન્‍ડલ પર શેર કરાયો છે. 22 જાન્‍યુઆરીએ વડા પ્રધાને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ સમારોહમાં ઘણા બોલીવૂડ સિતારાને આમંત્રણ હતું. અયોધ્‍યામાં રામ મંદિર બન્‍યા બાદ અહીં શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત આવ્‍યા કરે છે. તાજેતરમાં અમિતાભ બચ્‍ચને પણ ફરી રામલલ્લાના દર્શન કરતો ફોટો શેર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter