વચનના પાક્કા છે ‘ભાઇજાન’

Saturday 10th February 2024 08:25 EST
 
 

બોલિવૂડના ભાઇજાન એટલે કે સલમાન ખાન જેટલો દબંગ છે એટલો દિલદાર પણ છે. વિશાળ ફેન ફોલોઇંગ ધરાવતો આ સ્ટાર એના ફેન્સનું પણ ધ્યાન રાખે છે અને તેના સોશિયલ વર્ક માટે પણ જાણીતો છે. ‘વોન્ટેડ’નો તેનો એક ડાયલોગ બહુ જાણીતો છેઃ એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી ફીર તો મૈં અપને આપ કી ભી નહીં સુનતા. આગવા અંદાજથી હંમેશા ફેન્સનું દિલ જીતી લેતા સલમાનની એક તસવીર હાલમાં ખૂબ વાઇરલ થઈ રહી છે. નવ વર્ષની ફેન જગનબીરે કેન્સર સામે જીત હાંસિલ કરી તો તેને મળવા હોસ્પિટલે પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે 2018માં કેન્સરગ્રસ્ત જગનબીરને લઇ પરિવારજનો સલમાનને તેના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાને મળ્યા હતા. આ સમયે સલમાને જગનબીરની બીમારી અને તેની પીડાદાયક ટ્રીટમેન્ટ વિશે જાણકારી મેળવી હતી. સાથે સાથે જ ભાઇજાને જગનબીરને પ્રોમિસ આપ્યું હતું કે તું સારવાર પૂરી કરીને કેન્સરમુક્ત થઇ જશે એટલે ત્યારે તને મળવા આવીશ. તાજેતરમાં ડોક્ટરોએ જગનબીરને કેન્સરમુક્ત જાહેર કરતાં જ સલમાને તેનું વચન પાળ્યું છે. સલમાન જગનબીરને મળવા હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને તેની સાથેની મુલાકાતના ફોટો વાઇરલ થયા છે, જેમાં બન્ને સાથે જોવા મળે છે. હિન્દી ફિલ્મના ચાહકો પણ સલમાન ખાનના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક ફેને ખૂબ પ્રેમ દર્શાવતા લખ્યું છેઃ સલમાન કા દિલ સોને કા હૈ....


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter