વિદ્યુત જામવાલ - નંદિતા માહતાનીએ સંબંધ તોડ્યો

Sunday 26th March 2023 07:47 EDT
 
 

એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઈનર નંદિતા માહતાનીના બે વર્ષના સંબંધોનો આખરે અંત આવ્યો છે. અનન્યા પાંડેની કઝિન એલાના પાંડેની હલ્દી સેરેમનીમાં નંદિતા અને વિદ્યુત જોવા મળ્યા હતા. સામાન્ય રીતે જાહેર પ્રસંગે સાથે જ ફરતું આ કપલ અલગ-અલગ દેખાતું હતું. જેના કારણે તરત જ ચર્ચાઓ શરૂ થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યુત અને નંદિતાએ પરસ્પર સંમતિથી છૂટા થવાનો નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર, વિદ્યુતનો સ્વભાવ શરમાળ છે અને તેને પાર્ટી કે મેળાવડા ખાસ ગમતા નથી, જેના કારણે તેમની વચ્ચે અંતર વધી રહ્યું હતું. 2021માં તાજમહેલની સાક્ષીએ તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો. જોકે છૂટા પડ્યા બાદ પણ તેમની વચ્ચે મિત્રતાના સંબંધો યથાવત હોવાનું કહેવાય છે.
નંદિતા માહતાનીએ અગાઉ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. નંદિતાના ડાઈવોર્સ બાદ કરિશ્મા કપૂરે સંજય સાથે મેરેજ કર્યા હતા. ડાઈવોર્સ બાદ નંદિતા સોશિયલ ગેધરિંગ અને પાર્ટીમાં છવાયેલી રહેતી હતી. નંદિતા અને વિદ્યુત જામવાલની મુલાકાત આવી જ એક પાર્ટી દરમિયાન થઈ હતી. આ સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter