સના ખાને ફિલ્મી સફર સંકેલી લીધીઃ લાગણીસભર પોસ્ટ સાથે અભિનયને અલવિદા

Monday 12th October 2020 12:39 EDT
 
 

‘બિગ બોસ’ સહિત અનેક ફિલ્મો અને ટીવી શોનો હિસ્સો રહી ચૂકેલી સના ખાને શો બિઝનેસને અલવિદા કહેતી લાગણીસભર પોસ્ટ તાજેતરમાં કરી હતી. સોશિયલ મીડિયા પર એક લાંબી અને ઇમોશનલ પોસ્ટમાં સનાએ લખ્યું કે, ધાર્મિક કારણોસર ફ્લ્મિી દુનિયાને બાય બાય કરી રહી છું.
સનાએ લખ્યું કે, જેણે તેને જીવન આપ્યું છે તે માનવતાની સેવા કરશે અને તેના આદેશોનું પાલન કરશે. આ પહેલાં ‘દંગલ’ ફેમ ઝાયરા વસીમ પણ કારણે જ પોતાની ફ્લ્મિી કરિયર છોડી ચૂકી છે. તેના એક વર્ષ બાદ સનાએ આ જાહેરાત કરી છે.
આ સમયને આનંદની ક્ષણ ગણાવીને સનાએ લખ્યું કે, અલ્લાહ આ સફરમાં તેમની મદદ કરે. એક્ટ્રેસે પોતાના ચાહકોને તેમની દુઆમાં સામેલ કરવાની અપીલ કરી છે. તેણે લખ્યું કે, હું વર્ષોથી શો બિઝનેસમાં જિંદગી જીવું છું. હું મારા ચાહકોની આભારી છું.
મૃત્યુ બાદ શું થશે?
આ અભિનેત્રી વધુમાં લખે છે કે, શું બેસહારા હોય એવા લોકો માટે કંઇક કરવાની ફરજ નથી? માનવીએ વિચારવું ન જોઇએ કે કોઇ પણ ક્ષણે મૃત્યુ આવી શકે છે? અને મૃત્યુ બાદ તેનું શું થશે? આ બે સવાલોના જવાબ હું ઘણા સમયથી મેળવવા માગું છું. ખાસ તો આ બીજો સવાલનો વિચાર આવે છે કે મૃત્યુ બાદ મારું શું થશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter