સામંથા ક્રાયોથેરપી સારવાર લઇ રહી છે

Tuesday 14th November 2023 07:00 EST
 
 

સામંથા રૂથપ્રભુએ હાલ પોતાની બીમારીના કારણે બ્રેક લીધો છે. તે માયોસાઇટિસ નામની એક બીમારીથી પીડાઇ રહી છે અને હાલ તે આ બીમારીની સારવારના ભાગરૂપે ક્રાયોથેરપી લઇ રહી છે. જેમાં તેને બરફના પાણીમાં એટલે કે શરીરને ઠંડા તાપમાનમાં રાખવું પડે છે. સામંથાએ આ થેરપી લેતો એક વીડિયો પણ વાયરલ કર્યો છે. સામંથાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતાં કેપ્શન આપ્યું છેઃ રિકવરી. તેણે આ ક્રાયોથેરપી વિશે જણાવ્યું છે કે, આ થેરપી ઇમ્યુનિટી પાવરને વધારે છે, રક્ત સંચારમાં સુધારો કરે છે, હોર્મોનને ટ્રિગર કરે છે.

ઉલ્લેખનીય છે કે, તેણે પોતાની બન્ને ફિલ્મો ‘એનિમલ’ અને ‘ફાઇટર’ માટે બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. તેથી તેણે પણ થોડા મહિનાઓ પહેલા અનિલ કપૂરે ક્રાયોથેરપી લેતો હોવાની તસવીર શેર કરી હતી. સામંથાનું પતિ નગા ચૈતન્ય સાથે સુલેહ થઇ ગઇ હોવાની અટકળો થઇ રહી છે. નગા ચૈતન્યે એક તસવીર શેર કરી છે જેમાં તેમનો ડોગ હૈશ એક કારમાં ચૈતન્યના ખોળામાં બેઠેલો જોવા મળે છે. આ એ જ ડોગ છે જેને સામંથાએ લગ્ન પછી એડોપ્ટ કર્યો હતો. તેથી લોકો માની રહ્યા છે કે, આ યુગલ ફરી એક થઇ જશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter