ગોવિંદાના મેનેજર શશિ સિંહાનો દાવો સાચો માની લેવામાં આવે તો સુનિતા આહુજાએ એક્ટર પતિ ગોવિંદા સામે કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. બાન્દ્રાની ફેમિલી કોર્ટમાં સુનિતા આહુજા પુત્ર યશવર્ધન સાથે દેખાઈ ત્યારે તસવીરકારોએ તેમને કોર્ટમાં આવવાનું કારણ પૂછતાં સુનિતાએ આક્રોશભેર ભેદી જવાબ આપ્યો હતો કે, ‘બર્થ ડે મનાને આઈ થી’. જેને પગલે સોશ્યલ મિડિયા પર જાતજાતની અટકળો વહેતી થઈ હતી. હવે શશિ સિંહાનું કહેવું છે કે સુનિતાએ પોતાની છૂટાછેડાની અરજી કાનુની રીતે પાછી ખેંચી લીધી છે. સુનિતા આહુજાએ ડિસેમ્બર 2024ના રોજ બાન્દ્રાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.


