મુંબઈ હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ કર્યો છે કે અભિનેતા સોનુ સૂદ અને વિધાનસભ્ય જિશાન અલી કોરોનાની દવાઓ ક્યાંથી મેળવતા હતા. આ દવાઓ તેમની પાસે ક્યાંથી આવતી હતી તેની કડક પૂછપરછ સાથે તપાસ કરો. કોરોનાના હાહાકાર વખતે દવાઓની ભારે તંગી પ્રવર્તી રહી હતી, પરંતુ અભિનેતા સોનુ સૂદ તારણહાર બનીને લોકોને મદદ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા મારફત આવતી અપીલોના જવાબમાં કોરોનાની દવાઓ મોકલી આપતો હતો. વિધાનસભ્ય જિશાન અલીએ પણ વધુમાં વધુ લોકોને કોરોનાની દવાઓ મેળવી આપી હતી. હાઈ કોર્ટની એસ. પી. દેશમુખ અને જી. એસ. કુલકર્ણીની બેન્ચે આ આદેશ સાથે ટીકા પણ કરી હતી કે અભિનેતા તારણહાર હોવાનો દાવો કરી રહ્યા હતા. પરંતુ તેમણે મેળવેલી અને જરૂરતમંદોને મોકલાયેલી દવાઓ અસલી છે કે નકલી તેની તપાસ કરવાની પણ દરકાર કરી નહોતી! તેમણે એ જાણવાની પણ પરવા નથી કરી કે આ દવાઓ ગેરકાયદે માર્ગે તો નથી આવતી?!