અભિનેતા સોનુ સુદ અવારનવાર પોતાની સોશિયલ એક્ટિવિટીને લીધે સોશિયલ મીડિયા પર ટોકિંગ પોઇન્ટ બનતો રહ્યો છે. હાલ દેશમાં કોરોના સામે પુરજોશમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યારે સોનુ સુદે પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. આની સાથે સાથે જ તેણે સંજીવની પ્રોગ્રામ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે પંજાબના વિવિધ જિલ્લાઓ અને ગામડાઓમાં લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરશે. અમૃતસરની એપોલો હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લીધા બાદ સોનુ સુદે કહ્યું હતું કે, ‘મને ગયા વર્ષનો સમય બરાબર યાદ છે. ગયા વર્ષે પરપ્રાંતીય શ્રમિકો પોતાના ઘરે પરત ફર્યા હતાં. અમે લોકોને અપીલ કરતા હતા કે શાંતિ રાખો અને સુરક્ષિત રહો. હવે આપણે કોરોના વેક્સિન વિશે વાત કરીએ... મારી દરેક લોકોને નમ્ર વિનંતી છે કે તમે તમામ કોરોનાની વેક્સિન લઈ લો.’