હવે રણબીર-આલિયા પર નિશાન સાધતી કંગના

Wednesday 26th July 2023 06:48 EDT
 
 

વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે હાલમાં જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ‘રહસ્યમય’ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે ‘ફેક કપલ’નો ઉલ્લેખ કરીને ફેક ન્યૂઝ ફ્લાવવા બદલ તેમની ટીકા કરી હતી. એક્ટ્રેસે એવો પણ દાવો કર્યો હતો કે તાજેતરની ફેમિલી ટ્રિપ દરમિયાન પતિએ પત્ની અને બાળકની અવગણના કરી હતી. એટલું જ નહીં, પતિએ કંગનાને મેસેજ કરીને મળવાની વિનંતી પણ કરી હતી. કંગનાએ અગાઉ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નવા પ્રોજેક્ટના નકારાત્મક મીડિયા કવરેજના ફોટા પણ શેર કર્યા હતા. કંગનાએ ઈન્સ્ટા સ્ટોરીઝમાં બે સ્ક્રીનશોટ શેર કર્યા હતા. આ સ્ક્રીનશોટ તેમની આગામી ફિલ્મ સંબંધિત લેખોના હતા. રિપોર્ટ શેર કરતાં એક્ટ્રેસે લખ્યું હતુંઃ ‘જ્યારે પણ હું કોઈ ફિલ્મની જાહેરાત કરું છું ત્યારે આવા લેખો ચર્ચામાં આવવા લાગે છે, જેમાં મારું અને મારા સહકલાકારોનું અપમાન થાય છે. જો આ ચંગુ-મંગુ ગેંગને આટલું ખરાબ લાગે છે, તો હું તેમના માટે ભગવાનને પ્રાર્થના કરીશઃ તમારા આત્માને શાંતિ મળે.’ આ પછી કંગનાએ બે વાર્તાઓ શેર કરીને લખ્યું છેઃ ‘અન્ય સમાચારમાં નકલી પતિ-પત્નીની જોડી કે જેઓ અલગ-અલગ ફ્લોર પર રહે છે અને એક કપલ હોવાનો ઢોંગ કરે છે, તેઓ મૂવીની જાહેરાતને લઈને નકલી સમાચાર લાવી રહ્યા છે.’ હાલમાં જ આ પતિએ ફેમિલી ટ્રીપ દરમિયાન પત્ની અને બાળકની અવગણના કરી હતી. આ વિશે કેમ કોઈ લખતું નથી. આ દરમિયાન કહેવાતા પતિએ મને મેસેજ કરીને રૂબરૂ મળવાની વિનંતી કરી હતી. આ નકલી કપલનો પર્દાફાશ થવો જોઈએ.’ કંગનાની આ પોસ્ટ જોતાં અનુમાન થઇ રહ્યું છે કે તેણે આ પોસ્ટ દ્વારા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે રણબીર માતા નીતુ કપુરનો જન્મદિવસ ઊજવવા લંડન ગયો હતો. આ સમયે આલિયા અને તેની પુત્રી રિહા ભારતમાં જ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter