સબ ટીવીના ખૂબ જ લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટે શો છોડવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૧૭થી રાજ ટપુની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેના અભિનયને પણ ચાહકો ખૂબ જ પસંદ કરે છે. આમ શોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કલાકરે શો છોડવાનો નિર્ણય લીધો છે. તારક મહેતા શોનો ટપુ એટલે કે રાજ અનડકટ હવે આ સિરિયલમાં જોવા નહીં મળે. આ અગાઉ ટપુની ભૂમિકા નિભાવનાર ભવ્ય ગાંધીએ શો છોડ્યો હતો. રાજ અનડકટ છેલ્લા પાંચ વર્ષથી ટપુની ભૂમિકા ભજવી રહ્યો છે. તેને આ શોના કારણે ખૂબ જ પ્રસદ્ધિ મળી છે. આ શો બાદ જ રાજનું નામ ઘર-ઘર સુધી પ્રચલિત થયું છે. રાજ છેલ્લા કેટલાક સમયથી નવી ભૂમિકા માટે પ્રયત્ન કરી રહ્યો હતો અને શો છોડવા માટે પણ વિચારી રહ્યો હતો. આ અંગે તેણે પ્રોડક્શન હાઉસ સાથે વાતચીત પણ કરી હતી. રાજ અનડકટે હવે પ્રોડક્શન હાઉસ સાથે કોન્ટ્રેક્ટ રિન્યુ ન કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા સમયથી શોમાં બબીતાજીની ભૂમિકા નિભાવનાર મુનમુન દત્તા અને ટપુની ભૂમિકા ભજવનાર રાજ વચ્ચે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. આવા સમયમાં રાજના શો છોડવા પાછળનું કારણ બબીતાજી એટલે કે મુનમુન દત્તા હોઈ શકે છે.