'પરિણિતા', 'મર્દાની', 'લાગા ચુનરી મેં દાગ' સહિતની ફિલ્મના દિગ્દર્શક પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા. હજુ થોડા સમય પહેલાં દિગ્દર્શક સતીશ કૌશિકના નિધનના શોકમાંથી બોલીવૂડ ઉભરી રહ્યું હતું ત્યાં આ બીજા દિગ્દર્શકે વિદાય લેતાં ફિલ્મી હસ્તીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રદીપ સરકાર કિડનીની બીમારીથી પીડાતા હતા. તેમજ ડાયાલિસિસ પર હતા. તેમના શરીરમાંથી પોટેશિયમનું લેવલ વધારે પડતું ઘટી ગયું હતું. પરિણામે તેમને તબિયત ગંભીર થતી ગઇ હતી. ડોકટર્સોના તમામ પ્રયાસો તેમને બચાવામાં નિષ્ફળ ગયા હતા. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને 24 માર્ચના રોજ સવારના 3.30ના તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સાંતાક્રૂઝ સ્મશાનમાં થયેલી અંતિમવિધિમાં દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, રાણી મુખરજી, દિયા મિર્ઝા સહિત બોલીવૂડના અનેક કલાકારો તથા ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા.