‘રાધાક્રિષ્ના’ના કાસ્ટ એન્ડ ક્રૂના ૧૮૦ સભ્યો શૂટિંગ લોકેશન પર ફસાયા

Saturday 25th April 2020 08:45 EDT
 
 

પૌરાણિક શો ‘રાધાક્રિષ્ના’ના મુખ્ય કલાકારો સહિત ૧૮૦ ક્રૂ મેમ્બર્સ છેલ્લાં એક મહિનાથી શૂટિંગ લોકેશન પર ફસાયેલા છે. આ સિરિયલનું શૂટિંગ સુરત નજીક ઉમરગામમાં કરવામાં આવતું હતું.
લોકડાઉન લંબાશે તેનો અંદાજ નહોતો
સિરિયલમાં સુમેધે ક્રિષ્નાના રોલ કર્યો છે જ્યારે મલ્લિકાએ રાધાનો રોલ પ્લે કર્યો છે. મલ્લિકાએ જણાવ્યું છે કે, શરૂઆતમાં સૌને હતું કે થોડાંક જ દિવસો માટે લોકડાઉન હશે પરંતુ હવે તો એક મહિનો થવા આવ્યો છે. મલ્લિકાએ વધુમાં કહ્યું હતું કે જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે મુંબઈ રહેતા તેના પરિવારે તેને સલાહ આપી કે તે જ્યાં છે ત્યાં જ રહે. હાલમાં મુસાફરી કરવી સલામત નથી. જોકે તેનાં મમ્મી અહીં જ તેની સાથે છે.
સેટ પર તમામ સુવિધા
મલ્લિકાએ સિંહે આગળ એમ પણ કહ્યું હતું કે સિરિયલના મેકર્સ તમામ બાબતોનું ધ્યાન રાખે છે. સેટ પર ભોજન તથા રહેવાની યોગ્ય વ્યવસ્થા છે. ડોક્ટર્સ પણ નિયમિત રીતે સેટની મુલાકાત લે છે અને તમામને તપાસે છે. આટલું જ નહીં સેનિટાઈઝેશન પણ નિયમિત રીતે કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter